Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ વિસર્જન શુભ મુહુર્ત : જાણો કેવી રીતે કરશો ગણેશ વિસર્જન

Webdunia
રવિવાર, 30 ઑગસ્ટ 2020 (14:38 IST)
દસ દિવસ ગણેશજી ઘરમાં બેસાડ્યા પછી અનંત ચતુર્દર્શીએ ગણેશ વિસર્જનની પરંપરા છે. આવુ કરવાથી જીવનમાં આવનારા બધા કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે.  ગણેશજીની પ્રતિમાનુ 3,5,7 અને 10 દિવસ પછી પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. 
 
અનંત ચતુર્દશી - ગણેશ વિસર્જનનુ શુભ મુહુર્ત 
 
ગણપતિ વિસર્જનનુ શુભ મુહુર્ત - 
 
ગણેશ વિસર્જન - 1 સપ્ટેમ્બર 2020 
સવારે - 9.10 મિનિટથી બપોરે 1 56 મિનિટ સુધી 
બપોરે 3.32 મિનિટથી સાંજે 5.07 મિનિટ સુધી 
સાંજે 8 .07 મિનિટથી રાત્રે 9.32 વાગ્યા સુધી 
 
કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન 
 
-  સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો. 
- પછી જ્યા ગણેશજીની સ્થાપના કરી હોય એ સ્થાન પરથી તેમને ઉઠાવીને આ પાટલા પર બેસાડો  
- ગણેશજીને વિરાજમાન કર્યા પછી પાટિયા પર ફળ, ફુલ અને પાંચ મોદક અથવા લાડુ મુકો. 
- ત્યારબાદ એક નાનકડી લાકડી લઈને તેના છેડે એક નાનકડી પોટલી બાંધો આ પોટલીમાં ઘઉ ચોખા અને સુકામેવા અને થોડા સિક્કા નાખીને બાંધી દો. એવુ કહેવાય છે કે ગણેશજી તેમના ઘરે જઈ રહ્યા છે તો માર્ગમાં તેમને જરૂર પડી શકે છે. તેથી આવુ કરવુ જોઈએ. 
- નદી કે તળાવમાં તેમનુ વિસર્જન કરતા પહેલા તેમની આરતી ઉતારો 
- ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરો અને તમારી ઈચ્છા બતાવો અને 10 દિવસ દરમિયાન કંઈક ભૂલચૂક થઈ હોય તો તે માટે માફી માંગો 
- ત્યારબાદ એક એક કરીને ગણેશજીની બધી વસ્તુઓ પાણીમાં વિસર્જીત કરો. 
- જો તમે માટીની મૂર્તિ લાવ્યા છો તો તેમનુ પણ ઘરમાં આ જ રીતે વિસર્જન કરો. હાલ કોરોના કાળમાં બહાર ભીડમાં જવુ આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી તેથી ઘર બહાર એક મોટી ડોલ કે પાણીની કોઠીમાં આ જ રીતે ગણેશજીનુ વિસર્જન કરો ત્યારબાદ પાણી બગીચામાં રેડી દો. 
 
વિસર્જન દરમિયાન ન કરશો આ ભૂલ 
 
- વિસર્જન કરતી વખતે કોઈપણ વસ્તુ ભલે તે કિમતી કેમ ન હોય તેને ગણપતિથી અલગ ન કરશો. ઘરે આવીને ગણપતિ જ્યા સ્થાપિત કર્યા હતા એ સ્થાનને પગે પડો. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments