Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ફ્રેન્ડશિપ ડે' પર તમારા મિત્રોને તમારી દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોય, તો તેમને આ ગીતો દ્વારા વ્યક્ત કરો

Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2024 (19:22 IST)
દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે આંતરરાષ્ટ્રીય 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવામાં આવે છે.  આ વર્ષે 4 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવામાં આવશે. મિત્રતા એક એવો સંબંધ છે જે જીવનભર ટકે છે. આ દિવસ તમારા મિત્રો સાથે સમય વિતાવવાની અને તેમને જણાવવાની સારી તક છે કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. જો તમે પણ આ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રો સમક્ષ તમારી દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગો છો, તો આ ગીતો દ્વારા કહો.
 
તેરા યાર હૂં મેં... 
'સોનુ કે ટીટુ કી સ્વીટી'નું ગીત 'તેરા યાર હૂં મેં' મિત્રો પર આધારિત ગીત છે, જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. આ ગીતના બોલ તમને ભાવુક બનાવશે અને તમને મિત્રતાના સુંદર બંધનની યાદ અપાવશે.
 
ચઢી મુજે યારી એસી... 

ફિલ્મ 'કોકટેલ'નું ગીત 'ચઢી  મુઝે યારી તેરી ઐસી' પણ ખૂબ ફેમસ થયું હતું. આ ગીત ત્રણ લોકો વિશે છે જેઓ અચાનક મિત્ર બની જાય છે અને એકબીજા સાથે રહેવા લાગે છે. આ ગીત પણ 'ફ્રેન્ડશિપ ડે'ને ખૂબ જ ખાસ બનાવે છે.
 
જાને નહિ દેંગે તુજે... 
'3 ઈડિયટ્સ'ના 'જાને નહીં દેંગે તુઝે' ગીતમાં બે મિત્રો તેમના એક મિત્રનો જીવ બચાવવા માટે આ ગીત ગાય છે. સોનુ નિગમે ગાયેલું આ ગીત હૃદય સ્પર્શી ગીત છે.
 
યારો દોસ્તી બડી હી હસીન હૈ 
 
જૂના ગીતોમાં 'દોસ્તી' પરનું 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' જેટલું લોકપ્રિય થયું છે તેટલું જ આ ગીત વધુ સાંભળવામાં આવ્યું છે. ફ્રેન્ડશિપ ડે પણ આ ગીત વિના અધૂરો છે.

'તેરે જૈસા યાર કહા... કહા ઐસા યારાના'

યારાના ફિલ્મના આ ગીત દ્વારા તમે તમારા મિત્રો સમક્ષ તમારી લાગણીઓ પણ વ્યક્ત કરી શકો છો.
 
બને ચાહે દુશ્મન જમાના હમારા... 
 
કિશોર કુમાર અને મોહમ્મદ રફી દ્વારા ગાયેલું ગીત 'બને ચાહે દુશ્મન જમાના હમારા' પણ મિત્રતાના આજ સુધીના શ્રેષ્ઠ ગીતોમાંનું એક છે.
'અતરંગી યારી'
ફિલ્મ 'વઝીર'નું ગીત 'અતરંગી યારી' પણ ખૂબ જ પ્રખ્યાત ગીત છે કારણ કે તેનો દરેક શબ્દ હૃદય સ્પર્શી જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments