Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈને અનુસાર ઘરની છત બનાવડાવો

Webdunia
W.D
* છતનું નિર્માણ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે છત ત્રાસી ડિઝાઈનવાળી ન હોય. આનાથી ડિપ્રેશન અને સ્વાસ્થ્ય સંબંધી બીજી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.

* ઘરમાં છતની ઉંચાઈ ખુબ જ મહત્વની છે. સામાન્ય રીતે જોવામાં આવે તો એક સારી છતની ઉંચાઈ 10 થી 12 ફુટ સુધી હોવી જોઈએ. આનાથી સકારાત્મક ઉર્જા 'ચી'નો પ્રભાવ સારી રીતે થાય છે પરંતુ જો આવું ન થતું હોય અને ઉંચાઈ 8.5 ફુટની જ થતી હોય તો તે તમારા માટે ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે અને જીવનમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે.

* ઘરને મોટુ અને સુંદર દેખાડવા માટે ઘણાં લોકો છત પર પણ અરીસાઓ લગાવે છે. આ યોગ્ય નથી. ફેંગશુઈને અનુસાર જો તમે આવું કરશો તો તમારી વિચારશક્તિ નકારાત્મક ઢંગથી કામ કરશે અને જીવનમાં આગળ વધવામાં મુશ્કેલી આવે છે. દિવાલો પર અરીસાનો ઉપયોગ એક હદ સુધી જ ઠીક છે.

* છતની શોભા સ્કાઈલાઈટ વડે થાય છે. ફેંગશુઈને અનુસાર આ લાઈટોથી જીંદગીમાં સારીતકો મળે છે અને આનો સમય પણ વધતો જાય છે. આ જ રીતે ઓફીસોમાં પણ સ્કાઈલાઈટનો ઉપયોગ તમારા કેરિયરના વિકાસ માટે મદદગાર હોય છે, પરંતુ હા બેડની એકદમ ઉપર સ્કાઈલાઈટનો ઉપયોગ ન કરશો. આનાથી ઘણી માત્રામાં સકારાત્મક ઉર્જા શોષાઈ જાય છે.

* ફેંગશુઈને અનુસાર બીમની નીચે સુવુ, કામ કરવું કે બેસવું યોગ્ય નથી માનવામાં આવતું. જો નિર્માણમાં બીમનો ઉપયોગ કરવો જ હોય તો તેની નીચે કોઈ પણ પ્રકારનું કામ કરવાથી બચો.

* છત માટે સફેદ રંગને સૌથી સારો માનવામાં આવે છે. આનાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે અને સકારાત્મક ઉર્જા 'ચી' ની ગતિશીલતા જળવાઈ રહે છે. જો તમે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાડાવવા માંગતા હોય તો સફેદ રંગની પસંદગી કરીને સામાન્ય ડિઝાઈન જ બનાવડાવો.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments