Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ

Webdunia
N.D
ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

સજાવટી કાચના વાસણમાં મળતા આ છોડ કેટલાયે સુંદર આકારોમાં જોવા મળે છે. આની સૌથી સારી ખાસિયત તે છે કે આને માટી વિના પાણીમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ પાણી વડે જ સ્વસ્થ્ય રહે છે. આ છોડની નાની નાની દાંડીઓને એકસાથે બંડલ બનાવીને બાંધી દેવામાં આવે છે અને તેને સુંદર આકાર આપવામાં આવે છે. આ છોડની કિંમત તેની આકૃતિ પર નિર્ભર રહેલી હોય છે.

આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે જેનું વાનસ્પતિક જગતમાં નામ છે ડ્રેસીના સેંડેરિયાના. ખાસ કરીને આ છોડ ભારતમાં જોવા મળતો નથી. વાંસને વધવા માટે સુર્યના કિરણોની કોઈ જ જરૂરત હોતી નથી. એટલા માટે ઘરના કોઈ પણ ખુણામાં મુકેલો આ વાંસ તેની જાતે જ આપણું ધ્યાન તેની તરફ આકર્ષિત કરે છે. આ છોડની વધારે પડતી સાર સંભાળ રાખવાની જરૂરત નથી પડતી કેમકે આ છોડ એક વર્ષ દરમિયાન માત્ર ચાર ઈંચ જેટલો જ વધે છે. આ છોડ નોન ટૉક્સિક છે અને પાળતુ પ્રાણીઓ અને બાળકો માટે પણ એકદમ સુરક્ષિત છે.

એવું માનવામાં આવે છે કે આ ઘર-આંગણની લીલોતરીમાં વધારો કરીને તેમાં ચાર ચાંદ લગાવનાર આ છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘરના લોકોનું નસીબ પણ ચમકી જાય છે. ફેંગશુઈને અનુસાર આ છોડ ધાતુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન પેદા કરે છે. ફેંગશુઈના વિદ્વાનોનું માનવું છે કે લકી વાંસ ઘર કે ઓફીસના વાતાવરણમાં સતુલન પેદા કરે છે અને આ ગુડલક અને પ્રગતિનું પ્રતિક છે. ફેંગશુઈને પદ્ધતિને અનુસાર આ છોડ ઘરમાં રહેનારા લોકો માટે મૂડ બુસ્ટરનું કામ પણ કરે છે કેમકે આની સકારાત્મક ઉર્જા ઘરના વાતારવણને જીવંત બનાવી રાખે છે. આ બંડલને બાંધવા માટે રેડ રિબીનનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નિ તત્વનું સકારાત્મક રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments