Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid ul Fitr 2019 Namaz Time: ભારતમાં 5 તારીખે મુસ્લિમ લોકો ઉજવશે મીઠી ઈદ

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (18:26 IST)
. સઉદી અરબમાં મંગળવારે 4 જૂનના રોજ ઈદ ઉલ ફિતૂરનો તહેવાર ઉજવાશે. ભારતમાં બુધવારે 5 જૂનના રોજ સવારે મીઠી ઈદની નમાજ કરાશે. ઈસ્લામના નવમાં મહિનનઈ રમજાન પૂર્ણ થયા પછી 10માં મહિને શવ્વાલના પહેલા દિવસે ઈદ ઉજવાય છે.  એવુ કહેવાય છે એક પૈગબર હજરત મુહમ્મદને બદ્રના યુદ્દમાં મળેલ જીતની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. ઈદનો તહેવાર પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે.   જેમા બધા લોકો દુશ્મની ભૂલીને એકબીજાને ગળે વળગીને શુભેચ્છા આપે છે. એકબીજા ઘરે બોલાવીને સેવઈ સહિત તમામ પ્રકારના લજીજ વ્યંજન ખવડાવે છે. 
 
ઈદનો ચાંદ જોયા પછી થાય છે તહેવારની જાહેરાત 
 
બરકતોનો મહિનો રમજાન પછી આવનારો તહેવાર ઈદ ઉલ ફિતર ચાંદના મુજબ ઉજવાય છે. મતલબ રમજાનના અંતિમ રોજાને સાંજે ઈદનો ચાંદ જોવામાં આવે છે. જ્યારબાદ ઈદની જાહેરાત કરવામાં આવે છે. આ સાંજને ચાંદ રાત કહેવાય છે.  જેના આગામી સવારે ઈદની નમાજ થાય છે. આમ તો ઈદની નમાજ દરેક ગામ અને શહેરના ઈદગાહો પર આયોજીત થાય છે. પણ અનેક સ્થાન પર મસ્જિદને બહાર ઈદની નમાજ કરવામાં આવે છે. 
 
ભારતમાં બુધવારે સવારે ઈદની નમાજ પઢવામાં આવશે.  એક સ્થાન પર નમાજનો જુદો સમય હોય છે. જુદા જુદા મસ્જિદોમાં સવરે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઈદની નમાજનુ આયોજન થાય છે. 
 
ઈદ ઉલ ફિતર પર દાનનુ પણ વિશેષ મહત્વ 
 
ઈદના પાક તહેવાર પર દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે.  આ દિવસે મુસ્લિમ સમુહના લોકો ગરીબ લોમોને દાન આપે છે. ઈદ પહેલા રમજાનમાં પણ ખૂબ દાન કરવામાં આવે છે. જેને જકાત અને ફિતરા પણ કહે છે. ઈદ પહેલા લોકો ગરીબ લોકોને ઈદ ઉજવવા માટે મદદ કરવા માટે પણ આગળ આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments