Webdunia - Bharat's app for daily news and videos

Install App

દશેરાના દિવસે શમી પૂજા દૂર કરશે શનિ પ્રકોપ

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (18:36 IST)
હિન્દુ પરંપરામાં આ વૃક્ષનુ ખૂબ મહત્વ છે. તેને શનીદેવનુ સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. અને આયુર્વેદ મુજબ આ કૃષિ વિપદામાં લાભદાયક છે. 
1. એવુ કહેવાય છે કે લંકાથી વિજયી થઈને જ્યારે રામ અયોધ્યાથી પરત ફર્યા તો તેમણે લોકોને સોનુ આપ્યુ હતુ. જેના પ્રતીક રૂપે દશેરાના દિવસે સોના ચાંદીના રૂપમાં શમીના પાન આપવામાં આવે છે. 
 
2.  માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામને લંકા પર આક્રમણ કરવાથી પહેલા શમીના ઝાડની સામે માથુ નમાવીને તેમના વિજય માટે પ્રાર્થના કરી હતી. પછી લંકા પર વિજય મેળવ્યા પછી તેને શમી પૂજન કર્યું હતું. 
 
3. મહાભારત મુજબ પાંડવોએ દેશ નિકાળના છેલ્લા વર્ષમાં તેમના શસ્ત્રો શમીના ઝાડમાં છુપાવી દીધા હતા. બાદમાં તેણે ત્યાંથી શસ્ત્રો મેળવ્યા હતા. ત્યારથી તેને શમીની પૂજા કરી હતી. 
 
4. દશેરાના બીજા દિવસે તમે દશેરા મળ્યા બાદ લોકોને શમી પાન ભેંટ કરો, પણ શમીના પાંદડા તોડતા પહેલા છોડની પૂજા કરવામાં આવે છે.સાંજે શમી વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેનાથી આશીર્વાદ મેળવે છે.
 
5. પ્રદોષકાળમાં શમીના ઝાડ પાસે જઇને તેની પૂજા કરો અને ત્યારબાદ તેના મૂળમાં શુદ્ધ પાણી અર્પિત કરવું. આ પછી, ઝાડની સામે દીવો પ્રગટાવો પદ્ધતિસર તેની પૂજા કરો. શમી પૂજાના પણ ઘણા મહત્વપૂર્ણ મંત્રોનો ઉપયોગ કરો.
 
6. વિજયા દશમીના દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી, જ્યાં ઘરમાં તંત્ર-મંત્રની અસર સમાપ્ત થાય છે, ત્યાં શનિનો ક્રોધ પણ શાંત થાય છે. જ્યાં પણ આ વૃક્ષ લાગે છે ત્યાંથી મુશ્કેલીઓ દૂર રહે  છે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments