Biodata Maker

Dussehra 2025 Date: 1 કે 2 ઓક્ટોબર ક્યારે છે દશેરા ? જાણો વાહન ખરીદવાના શુભ મુહુર્ત અને મહત્વ ?

Webdunia
સોમવાર, 29 સપ્ટેમ્બર 2025 (18:09 IST)
Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે.  ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે. 
 
આ વર્ષે, નવરાત્રીનો ત્રીજો દિવસ બે દિવસનો હોવાથી, લોકોમાં દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે. ચાલો આ લેખ દ્વારા જાણીએ કે આ વર્ષે દશેરા કયા દિવસે ઉજવવામાં આવશે.
 
ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર, દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. દસમા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી. ત્યારથી, આ દિવસને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને તે  બુરાઈ અને અંધકાર પર સારા અને સત્યના વિજયનું પ્રતીક બની ગયું છે.
 
વિજયાદશમી સાથે જોડાયેલી બીજી માન્યતા રામાયણમાંથી આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને અધર્મ અને અન્યાય પર ન્યાય અને સત્યની સ્થાપના કરી હતી.
 
2025 માં  દશેરા ક્યારે ઉજવવામાં આવશે?
વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે નવરાત્રીની દશમી તિથિ  એટલે કે વિજયાદશમી 1 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 7.૦1 વાગ્યે શરૂ થશે. તે 2 ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે.
 
દશેરા 2025માં જાણો વાહન ખરીદવાનુ શુભ મુહુર્ત 
 
દશેરા 2025 - 2 ઓક્ટોબર ગુરૂવાર 
વાહન ખરીદવાનુ શુભ મુહુર્ત શરૂ  - 2 ઓક્ટોબર ગુરૂવાર સવારે 09.13 વાગ્યાથી 
વાહન ખરીદવાનુ શુભ મુહુર્ત સમાપ્ત - 3 ઓક્ટોબર શુક્રવાર સવારે 06.32 વાગ્યા સુધી 
 
આ સમય દરમિયાન વાહન ખરીદવુ શુભ રહેશે. આપણે વાહનની ખરીદી આપણી મહેનતની કમાણીમાંથી કરીએ છીએ. તેથી વાહન હંમેશા શુભ મુહુર્ત જોઈને જ ખરીદવુ જોઈએ. એવી માન્યતા છે કે શુભ મુહુર્તમાં વાહન ખરીદવાથી વાહન આપણી માટે શુભ રહે છે અને લાંબા સમય સુધી સાથ આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

How To Make Perfect Lassi:- ખાંડ વગર પરફેક્ટ ક્રીમી લસ્સી કેવી રીતે બનાવવી?

World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

આગળનો લેખ
Show comments