આસો શુક્લ પ્રતિપદા (એકમ) નાં દિવસે બ્રહ્મ મુહુર્ત માં જાગ્રત થઈ આ શૌચ-સ્નાનાદિથી પવિત્ર થઈ નિત્ય બ્રહ્મ કર્મ ને સંક્ષિપ્તમાં પૂર્ણકરી બ્રાહ્મણને બોલાવી (અથવા જાતે)શુભ મુહુર્ત જોઈ પૂજા સાહિત્યની તમામ સામગ્રીઓ પાસે રાખી પૂર્વાભિ મુખે બેસી પ્રથમ આચમન પ્રાણાયામ કરી પોતાના ભાલ પ્રદેશમાં ચંદન કુમકુમનો ચાંદલો કરવો. અને શાંતિ સુક્તનો આરંભ કરવો.
તીક્ષ્ણુદષ્ટ્ર મહાકાય કલ્પાન્ત દદનોપમ શ્રી ભૈરવ નમસ્તુભ્યં અનુજ્ઞાં દાતુમર્હસિ આ મંત્રથી ભૈરવનું ધ્યાન કરી નમસ્કાર કરવા. તે પછી ડાબા પગની એડી ત્રણવાર જમીન પર પછડાવી. ત્રણવાર તાળી પાડવી અને જમણા કાને જળનો સ્પર્શ કરવો. તે પછી ડાબા હાથતરફચોખાની ઢગલી કરી તેના ઉપર પાણી ભરેલો તાંબાનો કળશ પધરાવવો.કળશને લાલ નાડું બાંધવું તે પછી તેને સ્પર્શ કરી નીચેના મંત્રો ભણવા.
સંકલ્પ :- અનયા પૂજયા અપાંપતિવરુણઃ પ્રીયતાં ન મમ ત્યાર પછી કળશમાંથી પોતાના પ્યાલામાં થોડું પાણી લેવું. તે પછી પ્યાલામાંથી થોડું પાણી ડાબા હાથમાં લઈને નીચેનો મંત્ર ભણી જમણા હાથ વડે પૂજાનાં સઘળાં સાધનો ઉપર થોડું થોડું છાંટી જવું તેમજ પોતાના શરીર ઉપર પણ છાટવું.