Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મંદિરોમાં શ્રદ્ધાળુઓ

અંભાજી, પાવાગઢ સહિત રાજ્યભરના માતાજીઓના મંદિરોમાં ભક્તો માતાઓના દર્શન કરવા ઉમટી પડ્યા.

Webdunia
W.D

અમદાવાદ. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રીનો રવિવારથી ભક્તિ અને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. તા.6 એપ્રિલના રવિવારના રોજ લોકો મંદિરોમાં દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. ચૈત્રી નવરાત્રીનું માતાજીના ભક્તો માટે અનન્ય મહત્વ હોય છે. આ નવ દિવસ જપ તપ અને અનુષ્ઠાનના ગણાય છે. રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ નિમિત્તે પૌરાણીક મહત્વ ધરાવતા રિલિફ રોડ પરના અંબામાતાના મંદિર અને મણિનગર વિસ્તારમાં આવેલા બહુચરાજી માતાના મંદિરમાં દર્શન કરવા માટે રવિવાર સવારથી ભાવિકો ઉમટી પડયા હતા.

સવારથી લઈને મોડી રાત સુધી દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામેલી રહી હતી. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં હજારો લોકોએ મા તુલજા ભવાનીના મંદિરમાં દર્શન કર્યા હતા.
W.D

આ જ રીતે હજારો ભાવિકોએ વડોદરા પાસે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો લ્હાવો લીધો હતો. આમ તો વડોદરા સિવાય અન્ય સ્થળોએથી પાવાગઢ ખાતે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. તેવીજ રીતે અંબાજી મંદિરે ખૂબજ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.
W.D

ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરોમાં અનુષ્ઠાન, હોમ હવન, લઘુરુદ્ર અને નવચંડી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની પણ રમઝટ જામશે. મંદિરો પર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Show comments