Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dilip Kumar Passes Away: અભિનેતા અને ટ્રેઝેડી કિંગ દિલીપ કુમારનુ 98 વર્ષની વયે નિધન

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (08:38 IST)
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું બુધવારે સવારે (7 જુલાઈ) સવારે નિધન થયું હતું. 98 વર્ષિય દિલીપકુમાર લાંબા સમયથી બીમારીમાં હતા. તેમને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના મૃત્યુના સમાચાર આવ્યા. દિલીપ કુમારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમનું નિધનના સમાચાર આપવામાં આવ્યા છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો અને તેમના ફેંસ તેમને  સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

<

With a heavy heart and profound grief, I announce the passing away of our beloved Dilip Saab, few minutes ago.

We are from God and to Him we return. - Faisal Farooqui

— Dilip Kumar (@TheDilipKumar) July 7, 2021 >
 
શ્વાસની તકલીફ થવાને કારણે દાખલ કરવામાં આવ્યા 
 
એએનઆઈના અહેવાલ મુજબ તેમની સારવાર કરતા પલ્મોનોલોજિસ્ટ ડો. જલીલ પાર્કરે પણ આ સમાચાર આપ્યા છે. દિલીપકુમારને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની તબિયત લથડ્યા પછી તેમના પત્ની સાયરા બાનુ સોશિયલ મીડિયા દ્વારા સતત અપડેટ આપી રહ્યા હતા.   દિલીપકુમારને 6 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ હતી  રિપોર્ટ્સ હતી કે તેમના ફેફ્સામાં ફ્લુઈડ એકત્ર થઈ ગયુ હતુ જેના ટ્રીટમેંટ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 29 જૂને, થોડી સમસ્યા થતા તેમને  ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક હેલ્થ અપડેટ આપવામાં આવ્યું હતું  જેમાં સ્થિતિ સુધરતી હોવાનું જણાવાયું. આ સાથે જ સાયરા બાનુએ મીડિયાને એમ પણ કહ્યું હતું કે તે જલ્દીથી તેમને ઘરે લઈ જશે. પરંતુ આ વખતે ફેંસ અને નિકટના  લોકોની લાખો પ્રાર્થના બાદ પણ દિલીપ સાહેબ આ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments