Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (20:23 IST)
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા દિવસે નાની દિવાળી ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી કે યમ દિવાળી પણ કહેવાય છે. યમ દિવાળી જ આખા વર્ષમાં એક એવો દિવસ છે જ્યારે યમરાજને દિવો બતાવવામાં આવે છે. 
 
નરક ચતુર્દશીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તેલ લગાવીને ચિચડીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી નરકથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મોતથી મુક્તિ મળે છે. 
 
આ દિવસે ઘરની મહિલાઓ દરિદ્રતા જા લક્ષ્મી આવ.. કહીને ગંદગી ઘરની બહાર કાઢે છે. આ નાની દિવાળીએ દરિદ્રતાને ભગાવવા અને લક્ષ્મીને આવવાનો સમય મતલબ શુભ મુહૂર્ત સાંજે 5:20 થી 6:00 સુધી છે. આ શુભ મુહૂર્તમાં યમ દેવતાને દીપ દાન કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીનુ આગમન થાય છે. 
 
કાળી ચૌદસ પૂજા વિધિ 
 
આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ 
આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે 
આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને ન્હાવાથી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments