Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pusya nakshatra - 60 વર્ષ પછી બની રહ્યો છે ખરીદીનો શુભ સંયોગ, દિવાળી પહેલા ઘરમાં લઈ આવો આ વસ્તુ

Webdunia
મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (08:42 IST)
Dhanteras, Diwali 2021 Shopping Muhurat: ભારતમાં દીપાવલી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદી કરવાની જૂની પરંપરા છે. આ વર્ષ દિવાળી અને ધનતેરસ પહેલા ખરીદી માટે ખૂબ જ શુભ મુહૂર બની રહ્યુ છે.. જ્યોતિષીઓના મતે દિવાળી પહેલા ખરીદી માટેનો મહામુહૂર્ત, ગુરુ પુષ્ય નક્ષત્ર, 60 વર્ષ પછી શનિ-ગુરુનો સંયોગ થશે અને પુષ્ય નક્ષત્રની શુભતા બળ મળશે.  આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે.
 
કેમ ખાસ છે પુષ્ય નક્ષત્ર ? (Pusya nakshatra sayog for shopping)
 
જ્યોતિષમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા હોય છે. શનિને શક્તિ અને ઉર્જાના સ્વામી માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને ધનનો કારક છે. આ વર્ષે, ગુરુવાર, 28 ઓક્ટોબર પુષ્ય નક્ષત્રના દિવસે, શનિ અને ગુરુ બંને મકર રાશિમાં વિરાજમાન થશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા વધશે.
 
કયા ક્ષેત્રોમાં રોકાણ કરવાથી લાભ થશે ? 
 
જ્યોતિષના મુજબ શનિ-ગુરૂની આ યુતિનો વેપાર, ઉદ્યોગ અને કાર્યસ્થળ પર સારી અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, વીમા પોલિસી, વાહન, વિવિધ પ્રકારની યોજનાઓમાં રોકાણ, લોખંડ, સિમેન્ટ, તેલ કંપની, કાપડ, લાકડું અને ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલ વિવિધ  ક્ષેત્રમાં રોકાણ અથવા ખર્ચ કરવાથી લાભ મળશે. બીજી બાજુ, ગુરુની અનુકંપાથી શિક્ષા અને મેડિકલ સાયંસ જેવા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. 
 
આ વસ્તુઓ ખરીદવાથી મળશે લાભ 
 
શનિ-ગુરૂના સંયોગથી બનેલા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોના, ચાંદીના ઘરેણાં અથવા સિક્કા, ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડાની અથવા લોખંડની ફર્નિચર, ખેતી સાથે જોડાયેલ સામાન, પાણી કે બોરિંગની મોટર, વીમા પોલીસી, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજારમાં રોકાણ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે. 
 
વહીખાતા ખરીદવા શુભ 
 
હિંદુ ધર્મમાં પુષ્ય નક્ષત્રના દિવસે કોઈપણ નવા કામ કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે નવા પુસ્તકો અથવા પેન-દવા ખરીદો તો પણ તમારા કાર્યમાં શુભતા વધશે. પુસ્તકો અથવા પેન-દવા ખરીદ્યા પછી, તેમની વિધિવત પૂજા કરો. જો તમે ઈચ્છો તો ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો.
 
60  વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ 
 
જ્યોતિષશાસ્ત્રોનુ કહેવુ છે કે આ ગોચરમાં પુષ્ય નક્ષત્રનો સ્વામી અને ઉપસ્વામીની યુતિ લગભગ 60 વર્ષ પછી બની  રહી છે. આ પહેલા આ દુર્લભ સંયોગ 1961માં બન્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments