Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં આ રીતે પૂજા કરશો તો વધશે ધન સમૃદ્ધિ

Webdunia
ગુરુવાર, 19 ઑક્ટોબર 2017 (00:52 IST)
દિવાળી પર લક્ષ્મી અને ગણેશ પૂજાનુ વિશેષ મહત્વ છે. તેથી પૂજા ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપો. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે તસ્વીર નીચે લાલ કપડુ પાથરો. એક બાજુ કળશ સ્થાપના કરો. આ માટે કળશને સજાવો. ગલગોટાના ફૂલોના હાર બનાવીને દરવાજાના બંને બાજુ અને અંદર લગાવો. 
 
શુભ્રતા વધારે છે તોરણ 
 
આમ તો બજારમાં તોરણોની એક વિશાળ શ્રેણી મળી રહેશે અને તેને જોતા જ ખરીદવા માટે મન લલચાવવા માંડે છે પણ ખિસ્સા પર પણ ધ્યાન આપવુ પડે છે. આવામાં ઘરે જ તોરણ તૈયાર કરો. આમ તો તાજા પાન અને ગલગોટાના ફૂલને દોરામાં પરોવીને તોરણ બનાવો. સામાન્ય પાનથી બનેલ તોરણ પ્રારંભિક રૂપે શુભ હોય છે.  ધ્યાન રાખો કે જ્યારે પણ તોરણ બનાવો તેના પર શુભ લાભ જરૂર લખો. 
 
પૂજા કરવાની યોગ્ય દિશા કંઈ - ઘરના ઉત્તરી ભાગમાં ધન સંપત્તિનુ દ્વાર હોય છે. દિવાળી પૂજા ઘરના ઉત્તરી ભાગમાં કરો. ગણેશજીની મૂર્તિને મહાલક્ષ્મીની મૂર્તિના ડાબી બાજુ જ્યારે કે સરસ્વતીને જમણી બાજુ મુકો. 
 
સામાન્ય રીતે પૂર્વાભિમુખ થઈને અર્ચના કરવી જ શ્રેષ્ઠ સ્થિતિ છે. તેમા દેવ પ્રતિમા (જો હોય તો)નુ મુખ અને દ્રષ્ટિ પશ્ચિમ દિશાની તરફ હોય છે. આ રીતે કરવામાં આવેલ ઉપાસના આપણી અંદર જ્ઞાન, ક્ષમતા, સામર્થ્ય અને યોગ્યતા પ્રકટ કરે છે. જેનાથી આપણે આપણા લક્ષ્યની શોધ કરીને તેને સહેલાઈથી મેળવી લઈએ છીએ. 
 
વિશિષ્ટ ઉપાસનાઓમાં પશ્ચિમાભિમુખ રહીને પૂજા કરો. તેમા આપણું મોઢુ પશ્ચિમ તરફ હોય છે અને દેવ પ્રતિમાની દ્રષ્ટિ અને મુખ પૂર્વ દિશા તરફ હોય છે. આ ઉપાસના પદ્ધતિ સામાન્ય રીતે પદાર્થ પ્રાપ્તિ કે કામના પૂર્તિ માટે વધુ યોગ્ય હોય છે. ઉન્નતિ માટે કેટલાક ગ્રંથ ઉત્તરભિમુખ થઈને પણ ઉપાસનાની સલાહ આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments