Biodata Maker

ધનતેરસના દિવસે ખરીદી કરવા માટેના શુભ મુહૂર્ત, તમે ક્યારે ખરીદશો

Webdunia
શનિવાર, 7 નવેમ્બર 2015 (15:18 IST)
એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સાગર મંથનથી પ્રકટ થયા હતા. ભગવાનના હાથમાં અમૃત ભરેલો સુવણ કળશ હતો. ભગવાન ધનવંતરીને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે સોનુ ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન તેર ગણુ વધે છે. તેથી તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો શુભ મુહુર્તનુ જરૂર ધ્યાન રાખો જેથી તમારી ધનતેરસ 13 ગણો વધારો કરનારી રહે. 
 
આ વર્ષે દિવાળી 11 નવેમ્બરના રોજ છે અને ધનતેરસ 9 નવેમ્બરના રોજ સોમવારે છે. જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે સૂર્યાસ્ત પછી 2 કલાક 24 મિનિટનો સમય પ્રદોષકાળના નામથી ઓળખાય છે. આ સમય દીપદાન અને દિવાળી પૂજન કરવુ શુભ હોય છે.  દિલ્હીમાં ધનતેરસના દિવસે સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 28 મિનિટ પર થશે. 
 
ત્યારબાદનો સમય પ્રદોષ કાળનો રહેશે જેમા 5 વાગીને 51 મિનિટથી 7 વાગીને 47 મિનિટ સુધી સ્થિર લગ્ન વૃષ છે. આ દરમિયાન ધનતેરસની પૂજા કરવી શુભ અને ધન વૃદ્ધિ માટે શુભ છે. આ દરમિયાન તમે ખરીદી કરીને સ્થિર લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરી શકો છો. આ ઉપરાંત આ દિવસે અનેક શુભ મુહુર્ત છે જેમા ખરીદી કરવુ શુભ ફળદાયી રહેશે. 
 
ખરીદી માટે એક શુભ મુહૂર્ત 4 વાગીને 30 મિનિટથી 6 વાગ્યા સુધીનુ છે.  આ સમય અમૃત યોગ બની રહ્યો છે. જે શુભ કાર્યોમાં ઉન્નતિ અને લાભ આપે છે. જે લોકો વાહન ખરીદવાનુ વિચારી રહ્યા છે તેમને માટે શુભ સમયની વાત કરીએ તો આ છે. 
 
ધનતેરસના દિવસે 6 વાગ્યાથી 7 વાગીને 30 મિનિટનો સમય ચર કાળ છે. આ દરમિયાન વાહન ખરીદવા અને ઘર લાવવા શુભ રહેશે. 
 
જો તમે દિવસે ખરીદી ન કરી શકો તો તમે તમારા પરિવાર સાથે રાત્રે 10 વાગીને 30 મિનિટથી 12 વાગ્યા સુધી ખરીદી કરી શકો છો. આ સમય લાભ યોગ બન્યો હશે જે તમારા લાભને વધારનારો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Show comments