બિલ્વ વૃક્ષની નીચે બેસીને આ યંત્રને સામે મુકીને કુબેર મંત્રનો શુદ્ધતાથી જાપ કરવાથી આ યંત્ર સિદ્ધ થાય છે અને યંત્ર સિદ્ધ થયા બાદ તેને ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે. તેની સ્થાપના પછી દરિદ્રતાનો નાથ થઈને , પુષ્કળ ધન અને યશની પ્રાપ્તિ થાય છે.
મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિત દાપય સ્વાહા
મહાલક્ષ્મી યંત્ર - આ યંત્ર નિરંતર ધન વૃદ્ધિ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ધન પ્રાપ્તિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. આ સુવર્ણ વર્ષા કરનારો યંત્ર કહેવામાં આવે છે. આની કૃપાથી ગરીબ વ્યક્તિ પણ એકાએક અમીર બની જાય છે.
' ૐ શ્રી ં કલી ં ઐ લક્ષ્મ ી કમ લ ધારિણ ી હં સ સ્વાહા
શ્રીયંત્ર - યંત્ર શાસ્ત્રમાં શ્રીયંત્રનો વિશેષ મહિતા બતાવાયો છે. આ યંત્રને ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, કર્જ સંબંધિત ધન મેળવવા માટે, લોન વગેરે મેળવવા માટે અને લોટરી-સટ્ટો વગેરે દ્વારા ધન મેળવવા માટે ઉપયોગમા લેવાય છે.
શ્રીકનકધારા યંત્ર - ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. તેની પૂજાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓને આપનારો છે.
સુખ-સમૃદ્ધિ યંત્ર - આ યંત્રની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય છે અને ક્યારેય ધન-ધાન્યની કમી નથી આવતી.
શ્રીમંગલ યંત્ર - આ યંત્રની નિયમિત પૂજા કરવાથી બધા જ પ્રકારના કર્જથી મુક્તિ મળી જાય છે. મંગલ ભૂમિ કારક યંત્ર છે. તેથી જે આ યંત્રની પૂજા કરે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે.
વિદ્યાદાયક યંત્ર - વિદ્યાદાયક યંત્ર પણ માતા સરસ્વતીનું જ યંત્ર છે. આ યંત્રનાં દર્શન-પૂજનમાત્રથી સરસ્વતી દેવીની અસીમ અનુકંપા પ્રાપ્ત થાય છે. વિદ્યાપ્રાપ્તિનાં દ્વાર ખૂલે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ધારી સફળતા મળે છે. આ યંત્રની પણ ધનતેરસ અને દિવાળીના રોજ માતા-પિતાએ પોતાના સંતાનો દ્વારા પૂજા કરાવવી જોઈએ. પૂજા કરીને આ યંત્રને સ્ટડી ટેબલ પર કે પછી તમારા નિયમિત પુસ્તકોના ટેબલ પર મુકો.