આ વખતે માર્કેટમાં માટી તથા ટેરાકોટાના દીવડાની સાથે સાથે ફલોટિંગ દીવા આવ્યા છે જે દીવાળીની સજાવટના ઝળહળાટને બે ગણો કરી દેશે.
સુશોભિત દીવા અને પૂજા થાળી - ધનતેરસની લક્ષ્મીપૂજા તથા દીવાળી તથા નવા વર્ષે થતી પૂજા માટે અત્યારે ખાસ ડિઝાઇનર થાળી પણ મળે છે જેમાં ગણપતિ સ્વસ્તિક તથા મીણયુક્ત દીવો સેટ કરેલા જ હોય છે.
ડેકોટરેટિવ દીવા - ઘણા દીવા પર લાખકામ કરીને ટ્રાન્સપરન્ટ અને રંગબેરંગી સ્ટોન વડે સજાવટ કરવામાં આવી હોય છે.
ગૃહિણીઓ એવી વસ્તુઓ પસંદ કરે છે જે બે ચાર વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય અને કોઈને દિવાળીમાં ભેટ સ્વરૂપે પણ આપી શકાય. પૂજા માટે સ્વસ્તિક, શંખ, તથા ગણપતિના આકારના દીવડાં પણ આ વખતે એકદમ ડિમાન્ડમાં છે. આ વખતે માર્કેટમાં જે દીવા તથા ફાનસ વેચાય છે તેનો તમે દીવાળી ઉપરાંત પણ સજાવટ તરીકે કલાત્મક ઉપયોગ કરી શકશો.