Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગરમાં મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યૂબ જોવાની ના પાડતાં પત્નીની આત્મહત્યા

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2022 (11:29 IST)
ઘરમાં થયેલી નાને એવી તકરારમાં આત્મહત્યાઓ થવાના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની સાધના સોસાયટીમાં રહેતા પરિવારની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પતિએ વધુ પડતો મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો મીઠો ઠપકો આપતા પત્નીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં આત્મહત્યા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.

જેમાં ખાસ કરીને ઘરેલું તકરારને કારણે આવી ઘટનાઓ વધુ બની રહી છે. ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર આવેલી સાધના સોસાયટીમાં રહેતા 35 વર્ષના ઝરણાબેન મનીષભાઇ દોશીએ પોતાના ઘરે કોઇ ન હતું ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકીને આત્મહત્યા કરી લીધી હતી.ઘરે આવેલા પતિને બનાવની જાણ થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. ઝરણા બેનના પતિ મનીષભાઇએ પોલીસને જાણ કરીને એવી વિગતો જણાવી હતી કે તેમની પત્ની મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વધુ પ્રમાણમાં જોતા હતા. આથી વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. જે બાબતનું દુ:ખ લાગી જતા તેમણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વધુ તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments