Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરણિતાને વળગાડ હોવાની ખોટી માન્યતા રાખી ભુવા-ભગત પાસે લઇને જઇ હેરાન કરતાં સાસરીયાઓની આ રીતે સાન ઠેકાણે લાવી

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (11:42 IST)
'ગામડાની છે' એમ કહી પરણિતાને ટોર્ચર હતા સાસરીયા , વળગાડ હોવાની અંધશ્રદ્ધા રાખી આપતા હતા ત્રાસ
 
આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન સાસરી પક્ષની શારીરિક માનસિક હેરાનગતિથી ત્રાસી ગયેલી સુરતના કતારગામની પરિણીતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને મદદ માંગતા કતારગામ અભયમ રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું, અને લાંબા વિખવાદનો અંત લાવવામાં સફળતા મળી હતી.
 
કતારગામ વિસ્તારમાં રહેતી દિવ્યાબેન (નામ બદલ્યું છે)ના લગ્નને આઠ વર્ષ થયાં છે, અને તેમને બે સંતાન છે. તેમના લગ્ન અન્ય જ્ઞાતિમાં થયાં હતાં. અભયમ ટીમને દિવ્યાબેને સાસરી પક્ષના ત્રાસની કથની વર્ણવતાં કહ્યું કે, સાસરીવાળા મને અવારનવાર 'ગામડાની છે' એમ કહી ટોર્ચર કરે છે. ઘરના કામકાજ બાબતે મહેણાંટોણા મારે છે. 
 
સાસુ વાતવાતમાં ઝઘડા ઉભા કરી હેરાન કરવાની એક પણ તક જતી કરતાં નથી. તેમનેને મારૂ કોઈ કામ ગમતું નથી. ઘરેણાં પહેરીને બહાર નીકળવા નથી દેતા. હદ તો ત્યારે થઈ જ્યારે સાસરીવાળા મને વળગાડ છે તેવું કહી ભુવા ભગત પાસે લઈ જઈ માનસિક હેરાનગતિ કરવા લાગ્યા. દિવ્યાબેને કહ્યું કે, આજે પણ સાસરીવાળા ભુવાને ઘરમાં લઈ આવ્યા હતા અને મને વિધિ માટે ભુવા સામે બેસાડતા હતાં, ત્યારે આખરે ૧૮૧ અભયમને કોલ કરી મદદ માંગી હતી.
 
અભયમ ટીમ દ્વારા સાસરીવાળા સાથે વાતચીત કરી આ રીતે અંધશ્રદ્ધા રાખવી એ પરિવારની સુખશાંતિ માટે ઘાતક છે એવી સમજ આપી હતી. ઉપરાંત, વહુને ખોટી રીતે હેરાન કરવી, ત્રાસ ગુજારવો એ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ગુનો બને છે એવી કાયદાકીય ચીમકી આપતાં સાસરિયાઓની સાન ઠેકાણે આવી ગઈ હતી. અભયમે એકબીજાને અનુકુળ બનવાનો અનુરોધ કરતા સાસરીવાળાએ પોતાની ભૂલ કબૂલી હતી, અને ભુવા-ભગતોના ચક્કરમાં નહીં પડીએ એવી ખાતરી આપી હતી. આમ, અભયમને પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments