Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ: 2 બાળકોની હત્યા બાદ માતાનો આપઘાત

Webdunia
શુક્રવાર, 2 જૂન 2023 (10:40 IST)
રાજકોટમાં ચકચારી ઘટના આવી સામે છે.   જનેતાએ પોતાના જ  બે બાળકોની હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.   સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એક જનેતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 
 
રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતી મનીષાબેન પરમાર દ્વારા પોતાના બંને બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ તરફ બંને બાળકોની હત્યા બાદ ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. 
બાદમાં પોતે વીડિયો બનાવી ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કરી આત્મહત્યા કરી છે. જેમાં મહિલાએ પતિ સાગરના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરતા હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે પતિ સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments