Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP Crime: છિંદવાડામાં સામુહિક હત્યાકાંડ, પહેલા આઠ લોકોની હત્યા... પછી આરોપીએ ખુદને લગાવી ફાંસી

Webdunia
બુધવાર, 29 મે 2024 (13:04 IST)
mass murder in chhindwara


MP Crime: છિંદવાડા જીલ્લામાં એક આદિવાસી પરિવારમાં 8-10 લોકોની સામુહિક હત્યા પરિવારના જ પુત્રએ  કુહાડી મારીને કરી છે. ત્યારબાદ હત્યારાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 
 
આ ઘટનાથી વિસ્તારમાં મચ્યો હડકંપ 
જીલ્લાની અંતિમ સીમામાં વસેલા આદિવાસી વિસ્તારના થાના માહુલઝિર હેઠળ ગ્રામ બોદલછારમાં એક આદિવાસી પરિવારમાં 8 લોકોની સામુહિત હત્ય કરવામાં આવી છે. પરિવારના પુત્રએ કુહાડી મારીને હત્યા કરી. ત્યારબાદ હત્યારાએ પણ ફાંસી લગાવીને ખુદનુ જીવન પણ સમાપ્ત કરી લીધુ છે.  

<

छिंदवाड़ाः कलयुगी बेटे ने कुल्हाड़ी मारकर परिवार के 8 लोगों की हत्या करने के बाद खुद भी लगाई फांसी#Chhindwara #Murder #CrimeNews #Suicide #MPNews #BreakingNews #Panchayat #MadhyaPradesh #heatwave pic.twitter.com/CLMrhTuhL3

— Chautha Khambha (@chauthakhamba) May 29, 2024 >
 
હત્યાનું કારણ જાણી શકાયું નથી, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ સભ્યોની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ , તેણે પોતાની જાતને પણ ફાંસી આપી હતી. આ ઘટના રાત્રીના 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે. પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાથી પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
 
આરોપીએ સૌથે પહેલા પત્નીની કરી હત્યા 
પોલીસ મુજબ આરોપીના લગ્ન 21 મે ના રોજ થયા હતા અને તેને સૌથી પહેલા તેની પત્નીને જ મોતને ઘાટ ઉતારી. આરોપી દ્વારા પછી 55 વર્ષીય મા, 35 વર્ષીય ભાભી, 16 વર્ષીય બહેન, 5 વર્ષીય ભત્રીજી, 4 અને દોઢ વર્ષીય બે ભત્રીજીઓને કુલ્હાઈ મારીને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે ઘટનાસ્થળ પર પહોચીને કુલ્હાડી પણ જપ્ત કરી લીધી છે. 
 
હત્યાનું કારણ બહાર આવ્યું નથી
આઠ લોકોની હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેણે કુહાડી લઈને તેના માતા-પિતા, પત્ની, ભાઈ, બહેન અને ભત્રીજી સહિત પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી હતી પોતાને ફાંસી આપી.
 
મુખ્યમંત્રીએ તપાસની સૂચના આપી
મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે આ ઘટના દુઃખદ છે, આવી ઘટના બધાને ચોંકાવી દે છે. આ દુખની ઘડીમાં હું પીડિત પરિવારની સાથે છું. આ ઘટનાની તપાસ કરાવશે. મંત્રી સંપતિયા ઉડકેને છિંદવાડા જવા માટે કહેવામાં આવ્યું છે. સંપતિયા ઉડકે  જી ત્યાં જશે અને બાકીના પરિવારના સભ્યોને મળશે. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાહેર થયું છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું. સરકાર શોકની આ ઘડીમાં મદદ કરશે. ઓમ શાંતિ...
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

આગળનો લેખ
Show comments