Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં મોબાઈલની દુકાનમાં આગનો મામલો, મહિલાએ પાર્સલની આડમાં બોમ્બ મૂક્યો હતો

fire in shop
Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (12:20 IST)
રાજકોટમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.

આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.

મહિલા પાર્સલ લઈને આવી તેમાં રમકડાની કાર હતી અને તેમાં ટાઇમર બોમ્બ ફીટ કર્યો હતો. મહિલા સાંજે પાર્સલ દુકાનના ટેબલ પર મૂકી ગઈ હતી. બાદમાં આ પાર્સલ પાછી લેવા ન આવતા તે દુકાનમાં જ પડ્યું રહ્યું હતું. જો કે, મોડી રાત્રે 2.48 વાગ્યે આ પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી. ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ ગત 7 તારીખને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે એ પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.

પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.આ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલને મહત્ત્વની હકીકત મળી હતી અને એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments