Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (22:36 IST)
ક્રાઈમ બ્રાંચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા
ક્રાઈમ બ્રાંચ દ્વારા માલિની પટેલની જંબુસરથી ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાઈ હતી
 
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે  મકાન પચાવવાના કેસમાં જંબુસરથી મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચે માલિની પટેલને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટમાં તેના રિમાન્ડની માંગ કરાઈ હતી. જેથી મેટ્રો કોર્ટે આગામી 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કરી દીધા છે. માલિની પટેલના રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
 
માલિની પણ ઘર છોડી ફરાર થઈ ગઈ હતી
ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી તેની સામે મેટ્રો કોર્ટ દ્વારા માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.  કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી હતી. તેના પતિ કિરણ પટેલના કારસ્તાનનો જમ્મુ કશ્મીરમાં પર્દાફાશ થતાં પત્ની માલિની પણ ઘર છોડી ફરાર થઈ ગઈ હતી. તે આગોતર જામીન મળેવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.
 
બંગલો પચાવવાના પ્રયાસમાં ફરિયાદ નોંધાઈ
ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડોનો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments