Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાધો

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2024 (12:35 IST)
Surat mass suicide
શહેરમાં આજે બે ગોઝારી ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં કોર્પોરેટરના ઘરમાં રાત્રે આગ લાગતાં 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું છે. જ્યારે બીજા બનાવમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લિંબાયત વિસ્તારમાં પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
પતિએ પત્ની અને દીકરાને ઝેર આપી ફાંસો ખાધો
આ ઘટના અંગે DCP પિનાકિન પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A-56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે. પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.પ્રાથમિક તપાસમાં સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
 
પોલીસને એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યો
DCP પિનાકિન પરમારે વધુમાં કહ્યું હતું કે, ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને તેમનો મોબાઇલ પણ મળી આવ્યો છે. જેમાં આપઘાત પહેલા તેમણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેમણે તેમની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે. જેથી તે પણ તપાસનો વિષય છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામુહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments