Webdunia - Bharat's app for daily news and videos

Install App

આણંદમાં વાંદરાઓ બન્યા બેકાબૂ, એક બાળકનું મોત, 3ને ઇજા

Webdunia
બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:50 IST)
ગુજરાતમાં વાંદરાઓ પણ બેકાબૂ બની ગયા છે. અહીં તેના આતંકનો એક કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લામાં બનેલી ઘટનામાં વાંદરાના કારણે એક બાળકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર વાંસલિયા ગામમાં બની હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં વાંદરાના આતંકને કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તે નજીકમાં બેઠેલા ત્રણ લોકો પર પડી હતી. આ ઘટનામાં પાંચ મહિનાના બાળકનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેના કારણે વહિવટી તંત્ર અને વન વિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા તેના પાંચ મહિનાના બાળકને ખાટલા પર ખવડાવી રહી હતી. આ દરમિયાન એક વાંદરો આતંક મચાવતો ત્યાં આવ્યો. આ દરમિયાન વાંદરાએ છતની દીવાલને ધક્કો મારતા તે ધરાશાયી થઇ ગઇ છે. પાંચ મહિનાના બાળક સહિત ત્રણ લોકોને તેની અસર થઈ હતી. પાંચ માસના બાળકને ગંભીર ઇજા થતાં આંકલાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને વિસ્તારમાં રોષ જોવા મળ્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો આતંક વધી ગયો છે. આ અંગે સ્થાનિક લોકોએ વનવિભાગને વાંદરાઓને પકડવા માંગ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments