Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગા બાપ દ્વારા 14 વર્ષીય કિશોરીને બલિ ચઢાવવા માટે હત્યા કરી હોવાની આશંકા

હેતલ કર્નલ
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (09:32 IST)
ગુજરાતના ગીર સોમનાથમાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક તાલાલાના ધાવા ગામમાં એક પિતાએ બલિદાન આપવા માટે તેની સગીર પુત્રીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન તાંત્રિક વિધિના નામે બાળકીનો બલિ ચઢાવવા દેવાની ચાલી રહેલી ચર્ચાઓએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી છે. બીજી તરફ મામલો ગરમાયા બાદ પોલીસ પણ સક્રિય બની છે. પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાવેશ અકબરી નામના વ્યક્તિની 14 વર્ષની દીકરી ધોરણ 9માં ભણતી કરતી હતી. પરંતુ તેણી આઠમી નવરાત્રિથી ગુમ હોવાનું જણાવાયું હતું. લોકોમાં એવી ચર્ચા હતી કે એ જ રાત્રે પિતાએ દીકરીની બલિ ચઢાવી દીધી. પોલીસને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં ગુપ્ત માહિતી મળી છે, જે બાદ પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી છે.
 
પોલીસને મળેલી માહિતીને ધ્યાનમાં રાખતાં ભાવેશ અકબરીના ખેતરમાં તપાસ કરી હતી. દરમિયાન શેરડીના પાકની વચ્ચેથી પ્લાસ્ટિકની બે થેલીઓ અને કપડા અને રાખવાળી થેલી મળી આવી હતી. પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. તાંત્રિક પદ્ધતિમાં અંધશ્રદ્ધાના કારણે પિતાએ પોતાની જ કથિત પુત્રીનું બલિદાન આપવાનું ભયંકર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
હાલ 14 વર્ષીય માસુમ બાળકીના મૃત્યુની ઘટનામાં તેના માતા-પિતા શંકાના દાયરામાં છે. કેમ કે, પોલીસ પૂછપરછમાં બાળકીના પિતા અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ પોલીસ દ્વારા બાળકીના પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરી રહી છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પિતાએ હત્યા બાદ ચાર દિવસ સુધી લાશને રાખી હતી અને તંત્ર વિદ્યાની મદદથી તેને જીવિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ જ્યારે યુવતી જીવિત ન હતી ત્યારે તેની છેલ્લી ક્રિયા કરવામાં આવી હતી. હાલ પોલીસે સગીર બાળકીના માતા-પિતાને આરોપો વચ્ચે કસ્ટડીમાં લીધા છે. પોલીસ બાળકીના પિતા અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.  આ ઘટના સામે આવતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં અરેરાટી સાથે ચકચાર વ્યાપી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments