Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની પરીણિતાને ખેંચ આવતાં જ સાસરીયાઓ દવા સંતાડી દેતા, તુ જોઈતી નથી કહી ઘરમાંથી કાઢી મુકી

Webdunia
બુધવાર, 25 મે 2022 (10:12 IST)
આજના શિક્ષિત સમાજમાં દહેજનું દૂષણ વધી રહ્યું છે. દહેજના કારણે મહિલાઓનું જીવવું દોઝખ બન્યું છે. અમદાવાદમાં ફરિવાર દહેજનો એક કેસ પોલીસ સુધી પહોંચ્યો છે. શહેરમાં બાપુનગરમાં રહેતી મહિલાનો લગ્નના માત્ર 6 મહિનામાં જ ઘરસંસાર પડી ભાંગ્યો છે. સાસરિયાઓ દહેજ માટે મહિલાના ચારિત્ર્ય પર શંકા કરતા હતાં. પતિ તેનો મોબાઈલ ચેક કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળેલી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટની મહિલાના બાપુનગરના યુવક સાથે 6 મહિના પહેલાં રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં. લગ્નના ચાર દિવસ પછી રસોઇ બનાવવા જેવી નાની નાની બાબતે તકરાર કરીને મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ શરુ કરવામાં આવ્યો હતો. તેનો પતિ વારંવાર તેનો મોબાઈલ ચેક કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. સાસરિયાઓ તેને જમવાનું પણ આપતા નહોતા. તે ઉપરાંત સાસરિયાઓએ તેને તું જોઈતી જ નથી તેમ કહીને કાઢી મુકી હતી. 
 
તું ગરીબ ઘરની છે તારા બાપના ઘરેથી શું લાવી?
સાસરિયાઓ તેને કહેતાં કે તું ગરીબ ઘરની છે તારા બાપના ઘરેથી શું લઈને આવી છે. તારી ખેંચની બિમારીની જાણ પણ લગ્ન બાદ કરી છે. સાસરિયાઓ મહિલાની દવાઓ પણ સંતાડી દેતા હતાં અને જમવાનું પણ આપતા નહોતા. ઘરમાં તેની સાથે નોકરાણી જેવો વ્યવહાર કરતાં હતાં. તેનો પતિ વારંવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. 
 
કંટાળીને મહિલા પિયરમાં આવી ગઈ હતી
પતિ વારંવાર કહેતો હતો કે મારે તારી જરૂર નથી તું મને જોઈતી જ નથી તેમ કહીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. પરંતુ બાદમાં તેઓ મહિલાને સમાધાન કરીને તેડી ગયાં હતાં. પરંતુ થોડા સમયમાં ફરિવાર તેમણે પોતાનો અસલી રંગ બતાડ્યો હતો. તેમણે મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને મહિલા પિયરમાં આવી ગઈ હતી. બાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments