Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છ: તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત, પરિવારમાં છવાયું માતમ

Webdunia
બુધવાર, 26 જૂન 2019 (10:15 IST)
એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મસી ગઇ છે. કચ્છના રાપરમાં એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા બનાવ સ્થળ પર પહોંચી બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના રાપર તાલુકાના ગેડી ગામે એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. જ્યારે ત્રણે બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.
 
જો કે, આ ઘટના સર્જાતા સ્થળ પર પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગ્રામજનો પણ એકત્રિત થઇ ગયા હતા અને તેમણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પોલીસે સમગ્ર ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments