Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનિવાસને પદ પરથી દૂર કરી સુનીલ ગાવસ્કર બન્યા બીસીઆઈના નવા અધ્યક્ષ

Webdunia
શુક્રવાર, 28 માર્ચ 2014 (16:46 IST)
P.R
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના અધ્યક્ષ એન. શ્રીનિવાસનને તેમના પદ પરથી દૂર કરી દઈને તેમના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને બીસીસીઆઈના વચગાળાના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ કરતા સુપ્રીમકોર્ટે શ્રીનિવાસનને સ્વેચ્છાએ પદ છોડવા માટે બે દિવસનો સમય આપ્યો હતો, પરંતુ શ્રીનિવાસન તરફથી બીસીસીઆઈએ ગઈકાલે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ પદ છોડશે નહીં પરંતુ તપાસ પૂરી ત્યાં સુધી કામકાજથી અળગા રહેશે.

કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા વચગાળા માટે લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને તમામ કાર્યભાર સોંપ્યો હતો. આઈપીએલ પૂર્ણ થયા બાદ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ શિવલાલ યાદવ અધ્યક્ષ તરીકેનો કાર્ય ભાર સંભાળશે. હાલમાં ગાવસ્કર આઈપીએલનો કાર્યભાર તથા શિવલાલ બીસીસીઆઈનું વહીવટી કામકાજ સંભાળશે.

ગુરુવારના રોજ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સને આઈપીએલ-7માંથી દૂર રાખવા અંગે પૂછવામં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ બંને ફ્રેન્ચાઈઝી ટીમોને દૂર રાખવાથી ક્રિકેટમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં થઈ શકે. જો સુપર કિંગ્સ આઈપીએલમાં નહીં રમે તો અન્ય ક્રિકેટ પ્રેમીઓ દુઃખી થશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments