Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વકપ માટે ભરતીય ટીમની પસંદગી આજે. શુ યુવરાજને મળશે રમવાની તક ?

Webdunia
મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (12:21 IST)
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની સંયુક્ત મેજબાનીમાં થનારી આઈસીસી વિશ્વ કપ-2015 માટે ભારતીય ટીમની પસંદગી આજે થશે. બીસીસીઆઈ મંગળવારે મુંબઈ સ્થિત પોતાના મુખ્યાલયમાં થનારી બેઠકમાં વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમ ઉપરાંત ઈગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાની સાથે થનારી આગામી ત્રિકોણીય શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરશે.  
 
વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમમાં આઠ બેટ્સમેન અને સાત બોલરોનો સમાવેશ કરી શકાય છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત એક વધારાના વિકેટકિપરને પણ રાખી શકાય છે. ધોની ઉપરાંત શિખર ધવન. રોહિત શર્મા. વિરાટ કોહલી. અજિક્ય રહાણે. સુરેશ રૈના. રવિચંદ્રન અશ્વિન. ભુવનેશ્વર કુમાર. ઈશાંત શર્મા. મોહમ્મદ સમી અને ઉમેશ યાદવનો સમાવેશ લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે. 
 
ત્યારબાદ ટીમમાં બે બેટ્સમેન અને બે બોલરોને પસંદ કરવાની જવાબદારી બીસીસીઆઈ પર છે. બેટ્સમેનોમાં અંબાતી રાયડુ. રોબિન ઉથપ્પા અને મુરલી વિજય પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જ્યારે કે બોલરોની દાવેદારીમાં વરુણ એરોન. સ્ટુઅર્ટ બિન્ની અને મોહિત શર્મા ઉપરાંત કર્ણ શર્મા પણ રેસમાં છે. 
 
બીસીસીઆઈ ખભાના પર વાગવાને કારણે અનફિટ રહેલ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી હટનારા રવિન્દ જડેજાના બરાબરીના ખેલાડીની શોધ પણ કરી રહી છે. જડેજા જો ટીમમાં પસંદગી નહી પામે તો અક્ષર પટેલને તેમના સ્થાન પર ટીમમાં લઈ શકાય છે.  
 
વિશ્વ કપ માટે જાહેર શક્યત 30 ખેલાડીઓની યાદીમાંથી બહાર જઈને કોઈને સામેલ કરવાની શક્યતા ઓછી જ લાગી રહી છે. પણ એ જોવાનુ રસપ્રદ રહેશે કે 2011ના વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને વર્તમન રણજી સત્રના ચાર મેચોમાં ત્રણ સદી લગાવી ચુકેલા યુવરાજ સિંહના નામ પર બીસીસીઆઈ વિચાર કરે છે કે નહી. 
 
30 સભ્યોની શક્યત ટીમ - મહેન્દ્ર સિંહ ધોની. શિખર ધવન. રોહિત શર્મા. રોબિન ઉથપ્પા. વિરાટ કોહલી. સુરેશ રૈના. અંબાતી રાયડુ. કેદાર જાધવ. મનોજ તિવારી. મનીષ પાંડેય. રિદ્દિમાન સાહા. સંજુ સૈમસંગ. રવિચંદ્રન અશ્વિન. પરવેઝ રસૂલ. કર્ણ શર્મા. અમિત મિશ્રા. રવિન્દ્ર જડેજા.અક્ષર પટેલ. ઈશાંત શર્મા. ભુવનેશ્વર કુમાર્ મોહમ્મદ સમી. ઉમેશ યાદવ. વરુણ એરોન. ધવલ કુલકર્ણી. સ્ટુઅર્ટ બિન્ની. મોહિત શર્મા. અશોક ડિંડા. કુલદીપ યાદવ. અને મુરલી વિજય.  

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments