Dharma Sangrah

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરોનાં મોત

Webdunia
શનિવાર, 18 ઑક્ટોબર 2025 (15:50 IST)
અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ (એસીબી)એ જણાવ્યું છે કે પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ખેલાડીઓનાં મોત થયાં છે. એસીબીએ એક નિવેદન બહાર પાડીને આ હુમલાની ટીકા કરી છે.
 
આ ઉપરાંત પાકિસ્તાનમાં નવેમ્બરમાં રમાનારી ત્રિકોણિય ટી20 સિરીઝમાંથી પણ નીકળી જવાની જાહેરાત કરી છે.
 
એસીબીએ ત્રણેય ખેલાડીઓની તસવીરો જારી કરીને જણાવ્યું કે "શુક્રવારે સાંજે પાકિસ્તાને કરેલા હુમલામાં આ ખેલાડીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા."
 
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ મુજબ "આ હુમલામાં ત્રણ ખેલાડીઓ- કબીર, સિબગતુલ્લાહ અને હારુન ઉપરાંત અન્ય પાંચ નાગરિકોનાં મોત થયાં છે."
 
બોર્ડે જણાવ્યું કે ખેલાડીઓના સન્માન અને આ દુખદ ઘટનાની પ્રતિક્રિયા રૂપે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ટી20 સિરીઝમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
આ ટી20 સિરીઝમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા. 17થી 29 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં બધી મૅચ રમાવાની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments