Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ ઈંડિયાને મળ્યો નવો સ્પૉન્સર BYJU'S, બીસીસીઆઈએ OPPOને કહ્યુ બાય

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (15:42 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શૈક્ષણિક તકનીક અને ઓનલાઈન શિક્ષા પ્રદાન કરનારી કંપની BYJU'Sને ભારતીય ટીમના મુખ્ય પ્રાયોજક બનાવવાની સત્તાવાર ચોખવટ કરી છે. આ કંપની હવે ભારતીય ટીમને જર્સી પર મોબાઈલ બનાવનારી કંપની OPPOનું સ્થાન લેશે.  આ કંપની 5 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક રહેશે.   
 
BYJU'S હવે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ થનારી ઘરેલુ શ્રેણીમાંથી ભારતીય ટીમની જર્સી પર દેખાશે. બીસીસીઆઈએ સીઈઓ રાહુલ જોહરીએ BYJU'S ને ભારતીય ટીમની સત્તાવાર મુખ્ય પ્રાયોજક બનવાની જાહેરાત કરતા કહ્યુ, 'ભારતીય ટીમ સાથે જોડાયેલા રહેવા માટે બીસીસીઆઈ તરફથી હુ OPPO નો આભાર માનુ છુ. ભારતીય ટીમના નવા પ્રાયોજક બનવા પર હુ BYJU'S ને શુભેચ્છા પાઠવુ છુ.  ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે બીસીસીઆઈ અને  BYJU હવે સાથે મળીને કામ કરશે. 
 
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ કે આ ડીલમાં બીસીસીઆઈને એટલી જ રકમ મળશે જેટલી  OPPO કંપની આપી રહી હતી. તેમા તેને કોઈ ખોટ થવાની નથી. આ ડીલ 31 માર્ચ 2022 સુધી ચાલશે.  ઉલ્લેખનીય છે કે  BYJU'Sની સ્થાપના કેરલના ઉદ્યમી બાયજૂ રવિંદ્રને કરી છે.  જેની વર્તમન કિમંત 38 હજાર કરોડ રૂપિયાની છે. 
 
બીજી બાજુ  BYJU'Sના સીઈઓ બાઈજૂ રવિદ્રને કહ્યુ, "ભારતીય ટીમના પ્રાયોજક બનવા પર મને ગર્વ છે. એક લર્નિગ કંપનીના રૂપમાં  BYJU'S હંમેશાથી બાળકોના વિકાસમાં મદદ કરે છે.  ભારતમાં કરોડો લોકો ક્રિકેટથી પ્રભાવિત છે અને અમે આશા કરીએ છીએ કે દરેક બાળક હવે તેનાથી પ્રભાવિત થશે.' 
 
ભારતીય ટીમની જર્સી પર વેસ્ટઈંડિઝ પ્રવાસ સુધી OPPOનો લોગો રહેશે. વેસ્ટઈંડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થશે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. દક્ષિણ આફ્રિકા 15 સપ્ટેમ્બરથી ભારતનો પ્રવાસ કરશે અને આ શ્રેણી સાથે મેજબાન ટીમની જર્સી પર લાગેલો લોકો પણ બદલાય જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments