જૂનમાં બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમનુ બુધવારે એલાન થઈ ગયુ. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને રજા નથી આપવામાં આવી. ધોની વનડેના કપ્તાન છે. જ્યારે કે વિરાટ કોહલી ટેસ્ટ ટીમના કપ્તાન છે. બીજી બાજુ હરભજન સિંહની ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો છે. આઈપીએલની 14 મેચોમાં 16 વિકેટ લઈને દમદાર પ્રદર્શન કરનારા હરભજન સિંહને પસંદગીકારે તક આપી છે. ઉલ્લેખનીય છે કે મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ધોની અને કોહલીએ બાંગ્લાદેશ પ્રવાસ માટે રજા માંગી હતી.
સંદિપ પાટિલની અધ્યક્ષતામાં પસંદગીકારની બેઠક થઈ
હરભજનને વિરાટ લઈને આવ્યા, ધોની નહી
હરભજનને ફક્ત ટેસ્ટ ટીમમાં તક આપવાના સવાલ પર બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેમનુ નામ ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ સુઝાવ્યુ હતુ. તેથી તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ. વનડે ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને લઈએ કોઈ વિચાર આપ્યા નહોતા. તેથી વનડેમાં સમાવેશ કરવાને લઈને તેમના પર ચર્ચા ન થઈ.
યુવરાજને ટીમમા લાવવા પર ચર્ચા ન થઈ
યુવરાજને ટીમમાં સામેલ ન કરવાના સવાલ પર અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેમના નામ પર ચર્ચા ન થઈ. કોઈએ તેમનુ નામ નથી સુજાવ્યુ. ઝહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ પર પણ કોઈ ચર્ચા નથી થઈ.