Webdunia - Bharat's app for daily news and videos

Install App

Odisha Train Accident: વીરેન્દ્ર સહવાગ કરશે મોટી મદદ, મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપવાની કરી વાત

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (12:07 IST)
Virender Sehwag:  ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ભારતીય રેલના ઈતિહાસમાં સૌથી મોટી દુર્ઘટનામાંથી એક હતી. વર્તમાન આંકડાના હિસાબથી આ દુર્ઘટનામાં 275થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ઘાયલોની સંખ્યા 1100ના પાર પહોચી ગઈ છે. દુર્ઘટના બાદ લોકો પોત પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સહેવાગે મદદ માટે પોતાના હાથ આગળ કર્યા છે. 

<

This image will haunt us for a long time.

In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility pic.twitter.com/b9DAuWEoTy

— Virender Sehwag (@virendersehwag) June 4, 2023 >
વીરેન્દ્ર સહવાગે એક ટવીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા આ વાતની માહિતી આપી કે આ દુખની ઘડીમાં રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવઅનરા મૃતકોના બાળકોને મફત અભ્યાસ પ્રદાન કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, "આ તસ્વીર આપણને લાંબા સમય સુધી પરેશાન કરશે. દુખની આ ક્ષણમાં ઓછામાં ઓછુ આટલુ તો કરી શકુ છુ કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના અભ્યાસનુ ધ્યાન રાખુ. હુ આવા બાળકોને સહવાગ ઈંટરનેશનલ સ્કુલની બોર્ડિગ સુવિદ્યામાં મફત અભ્યાસ આપવાની રજુઆત કરુ છુ. 
 
આ ઉપરાંત સહવાગે દુર્ઘટનાં રેસ્ક્યુ કરનારા લોકોને લઈને મેડિકલ સુધી બધાને આ કામ માટે સલામ કર્યુ. આ દુર્ઘટનાએ બધાને ઝકઝોરી નાખ્યા છે. દુર્ઘટનાથી આખા દેશમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન પરસ્પર અથડાવાથી થઈ છે. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બાહાનગા બજાર સ્ટેશન પાસે ઉભેલી એક માલગાડી સાથે અથડાઈ. જેને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
 
આ દરમિયાન ત્યાથી પસાર થનારી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ત્યા પહેલાથી પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ડબ્બા સાથે ટકરાઈ. આ રીતે આ દર્દનાક દુર્ઘટના બની.  આ રીતે ત્રણ ટ્રેન પરસ્પર ટકરાતા દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કે ઘાયલ થનારા લોકોને સંખ્યા 1100ને પાર પહોચી ગઈ.  આ ભારતમાં થયેલ મોટા રેલ અકસ્માતોમાંથી એક હતી.  

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments