ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામથા સ્થિત વિદર્ભ ક્રિકેટ સંઘ (વીસીએ)મેદાન પર આજે શરૂ થયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે આ મેચ માટે બે ફેરફાર કર્યા છે. વરુણ એરૉનના સ્થાન પર રોહિત શર્માને તક મળી છે. જ્યારે કે અમિત મિશ્રાએ અંતિમ અગિયારમાં સ્ટુઅર્ટ બિન્નીનુ સ્થાન લીધુ છે. ભારત આ મેચમાં ત્રણ સ્પીનરો સાથે ઉતર્યુ છે.
બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પણ એક પરિવર્તન કર્યુ છે. કેલ એબાટના સ્થાન પર સાઈમન હાર્મરને રમાડવામાં આવી રહ્યો છે. ડેલ સ્ટેન ફિટ ન હોવાને કારણે આ મેચમાં પણ નથી રમી રહ્યો. ચાર મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ ચાલી રહ્યો છે. તેણે મોહાલમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ 108 રનોથી જીતી હતી. બેંગલુરોમાં રમાયેલ બીજી ટેસ્ટ વરસાદને કારણે ધોવાય ગઈ હતી.