Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન, પઠાણ અને પંડ્યા બંધુઓને આપ્યું હતું કોચિંગ

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (14:21 IST)
jasmin nayak
- જસ્મીન નાયકે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.
- હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું
-  જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો

વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે. તેઓ શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા હતા.

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.તેમણે ઇરફાન અને યુસુફ પઠાણ તેમજ હાર્દિક અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.

ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી.કે. ગાયકવાડનું 13મી ફેબ્રુઆરીએ 95 વર્ષની  વયે નિધન થયું હતું. દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ 1928ની 27 ઓક્ટોબરે થયો હતો. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓ ઘણા દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments