Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10-12 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષમાં રાહત નહી

Webdunia
શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (19:03 IST)
હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા CBSE બોર્ડે 30 ટકા કોર્ષ ઘટાડયો છે, પરંતુ CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે. જેથી અન્ય દેશોની સ્થિતિને લઈને પણ કોર્ષ ઘટાડયો છે, પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલો ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતમાં રાબેતા મુજબ સ્કૂલો ચાલુ થઈ છે. પૂરો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઈ રહ્યા છે જેથી કોર્ષ ઘટાડવાનો કોઈ પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓએ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.
 
ઉલ્લેખનીય છે કે સરકારે આ અંગેઅગાઉ જાહેરાત કરી જ હતી કે કોર્ષ નહીં ઘટે. અત્યારે સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પુરા અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવી છે. કોર્ષ ઘટાડા અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી અને કરવામાં પણ નહીં આવે.
 
મોટેભાગે એવુ માનવામાં આવે છે કે ગુજરાત બોર્ડ CBSE બોર્ડને અનુસરીને જ નિર્ણય છે. તેથી  જ્યારે CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્ષ ઘટાડયો હતો.તો ગુજરાત બોર્ડના 10 અને 12ના વિદ્યાર્થીઓને અને વાલીઓને એવુ હતુ કે  ગુજરાત બોર્ડમાં પણ કોર્ષ ઘટાડો થશે.  પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્ષ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્ષનાં અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

આગળનો લેખ
Show comments