Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણ તાલુકાના ૨૧ અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં તળાવો છલકાયા

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (08:12 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા અને લાખો પશુઓને પીવાનું પાણી મળે એ માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે. નર્મદાના નીર થકી ઉત્તર ગુજરાતમાં સુજલામ્ સુફલામ્ યોજના અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા તળાવો ભરવામાં આવે છે.
 
વિધાનસભા ખાતે પાટણ અને સિદ્ધપુર તાલુકાનાં તળાવોને પાઇપલાઇનથી ભરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં પાટણ તાલુકાનાં નવ ગામનાં ૨૧ તળાવોમાં ૧૬૪૦ MCFT  અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં ૧૫ તળાવોમાં ૨૦૫ MCFT નર્મદાના નીર આપીને ભરવામાં આવ્યા છે. 
 
તેમણે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના નીર સુજલામ્ સુફલામ્ યોજના પાઇપલાઇન દ્વારા ઉપાડીને તળાવો ભરવામાં આવે છે. જેમાં પાટણ તાલુકામાં માતપુર–ડીંડરોલ પાઇપલાઇન અને ખોરસમ સરસ્વતી, ખોરસમ માનપુર પાઇપલાઇન દ્વારા તથા સિદ્ધપુર તાલુકામાં માનપુર–ડીંડરોલ પાઇપલાઇનથી તળાવો ભરવામાં આવે છે. 
 
એટલું જ નહીં, વરસાદ વધુ હોય ત્યારે નર્મદા એસ્કેપ નીચેથી જે ૨૩ નદીઓ પસાર થાય છે તે નદીઓમાં પણ ચેકડેમ ખોલીને પાણી વહાવવામાં આવે છે. દરિયાકિનારા વિસ્તારમાં વરસાદી મીઠું પાણી દરિયામાં વહી ન જાય એ માટે સ્ક્રીનિંગ કેનાલ તૈયાર કરાઇ છે જેના દ્વારા અનેક કૂવાઓ રિચાર્જ થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments