Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ બાદ સુરતમાં કરફ્યૂ, આ વિસ્તારોમાં લોકોની અવર-જવર બંધ

Webdunia
ગુરુવાર, 16 એપ્રિલ 2020 (17:33 IST)
જીવલેણ કોરોના વાયરસનો કહેર રાજ્યમાં દિવસે-દિવસે વધી રહ્યો છે. જ્યારે તંત્ર પણ આ વૈશ્વિક મહામારી સામે લડવા દરેક યોગ્ય પગલા ભરી રહ્યું છે. આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદ બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં આજ મધરાતથી કરફ્યૂની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સુરતના 5 વિસ્તારમાં આજ મધરાતથી ફરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

અશ્વિની કુમારે કહ્યું કે સુરતના અઠવા લાઈન્સ, મહિધરપુર, લિંબાયત પોલીસ સ્ટેશન, લાલગેટ અને સલાબતપુરમાં આજ રાતથી કરફ્યૂ લગાવવામાં આવશે. આ કરફ્યૂ દરમિયાન મહિલાઓને આવશ્યક ચીજવસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવશે. બપોરે 1થી 4 સુધી ફકત મહિલાઓને છૂટછાટ આપવામાં આવશે. લિંબાયત પોલીસ સ્ટેશનના કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારમાં પણ કરફ્યૂ રહેશે. અશ્વિની કુમારે કહ્યું કે 22 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં રહેશે. તેમણે કહ્યું કે આ કરફ્યૂમાં લોકો અવર-જવર કરી શકશે નહીં. ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉદ્યોગોને ધીમે-ધીમે 20મી એપ્રિલથી શરૂ કરવાની મંજૂરી અપાશે. 3 મે સુધી લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 871 કેસ નોંઘાયા છે. જેમાં 64 સાજા થયા છે અને 36 દર્દીઓના મોત થયા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments