Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 કલાકમાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (14:03 IST)
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં 213 જિલ્લાઓમાં વરસાદ નોંઘાયો છે. જેમા સૌથી વધુ જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોધાયો છે. લોધિકા અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી જળાશયોમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. મોટાભાગનાં ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવામાં આવતા હેઠવાસનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનાં સિંચાઈ વિભાગ હેઠળનાં 65થી વધુ જળાશયોમાં અર્ધાથી માંડીને 22 ફૂટ સુધીની સપાટીમાં વધારો થયો છે.મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ઉંડ નદીના વહેણમાં બે યુવાનો તણાયા છે. ઉંડ ડેમના 20 પાટિયા ખોલતા નદીમા ઘોડાપુર આવ્યા હતા. જેમાં જોડિયાના બે યુવાનો તણાતા હાહાકાર મચી ગયો હતો.જામનગરમાં શહેરને પીવાનું પાણી પૂરું પડતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થયો છે. જેના કારણે રાહદારીઓ અટવાયા છે.હવામાન વિભાગના ડાયરેક્ટ ડોકટર જ્યંત સરકારે સોમવારે જણાવ્યું હતુ કે, હવામાન વિભાગના દ્વારકા સેન્ટરમાં વરસાદી આંકડા નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. 17 જુલાઈ 1933ના રોજ 273.8 મિલિમિટર વરસાદ પડ્યો હતો. જે ગઈકાલે 275.8 મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે રેકોર્ડ બનાવ્યો છે. .દ્વારકા જિલ્લામાં 394.7 મિલિમિટર વરસાદ 1 ઓગસ્ટમાં 2014 હતો. જે ગઈકાલે 490 મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments