Webdunia - Bharat's app for daily news and videos

Install App

સબ સલામતનો દાવો કરતું આ ગુજરાત છેઃ વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં અને લેભાગુઓને જલ્સા

Webdunia
ગુરુવાર, 19 માર્ચ 2020 (10:13 IST)
ગાંધીનગરથી ધો.10ની વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગુજરાતી ભાષાની 1.60 લાખ ઉત્તરવહી લઇને બસ નીકળી હતી. બજરંગ ટ્રાવેલ્સ નામની બસ હતી. આ બસમાંથી વીરપુર અને ગોંડલ પાસે ઉત્તરવહીઓ પડી ગઇ હતી. આથી જીજે 02 ડબલ્યુ 1481 નંબરની બજરંગ ટ્રાવેલ્સની બસને કબ્જે કરવામાં આવી છે. બસને વીરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાખવામાં આવી છે. હજુ 259 ઉત્તરવહીઓ ગુમ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.

ગાંધીનગરથી ઉત્તરવહીઓ લઇને વીરપુર, ઉપલેટા અને કેશોદ મૂલ્યાંકન માટે નીકળી હતી.વીરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં SSC બોર્ડના સચિવ બી.આર. ચૌધરી, રાજકોટ DEO ઉપાધ્યાય, જેતપુર ASP સહિતનો સ્ટાફ હાજર છે. મીડિયાને કવરેજ માટે પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. માધ્યમિક પરીક્ષા બોર્ડના ઇન્ચાર્જ સચિવે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડના સચિવે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી છે અને પ્રાથમિક તપાસમાં બન્ને ડ્રા‌ઇવરો અને તેમની સાથેના જવાબદારોએ એવું નિવેદન આપ્યું છે કે, લક્ઝરી બસની ડેકીનું ઓટોલોક ખૂલી જતા ઉત્તરવહીના પાર્સલ રસ્તા પર રઝળી પડ્યા હતા. શિક્ષણ બોર્ડના સત્તાધીશો પોલીસમાં માત્ર જાણવા જોગ અરજી કરી જવાબદારોને છાવરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments