Webdunia - Bharat's app for daily news and videos

Install App

Don’ts of Wednesday: બુધવારે ભૂલથી પણ ન કરશો આ કામ, થઈ શકે છે ભારે નુકશાન

Webdunia
બુધવાર, 19 જાન્યુઆરી 2022 (00:15 IST)
Don’ts of Wednesday: શાસ્ત્રો અનુસાર બુધવાર બુધ ગ્રહનો દિવસ છે. આ દિવસે બુધ ગ્રહ અને ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે. પરંતુ આ દિવસે આપણે જાણતા-અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણને ભારે નુકસાન થઈ શકે છે. તેથી, આ દિવસે વ્યક્તિએ ભૂલીને પણ કોઈ ભૂલ ન કરવી જોઈએ. નહિંતર, આના કારણે આખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ એવા ક્યા કામ છે જે બુધવારે ભૂલીને પણ ન કરવા જોઈએ.
 
 
1. બુધવારના દિવસે ભૂલથી પણ કોઈ કિન્નરનુ અપમાન ન કરવું જોઈએ. જો તમે બુધવારે કોઈ કિન્નરને જુઓ તો તમારે તેમને શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
2- આ ઉપરાંત આ દિવસે તમે કોઈ છોકરી કે મહિલાનું અપમાન ન કરો, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે કન્યાને ભોજન કરાવવાથી પણ લાભ થાય છે. 
 
3-કેટલાક લોકોને પાન ખાવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ બુધવારે પાન ન ખાવું, એવું માનવામાં આવે છે કે તેનાથી ધનનું નુકસાન થાય છે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.
 
4. બુધવારના દિવસે નવા જૂતા અને કપડા ન ખરીદવા જોઈએ કે નવા કપડા ન પહેરવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તેથી બુધવારે નવા વસ્ત્રો પહેરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
 
5-બુધવારના દિવસે વાળ સંબંધિત કોઈ વસ્તુ ન ખરીદવી, ટૂથબ્રશ વગેરે આ દિવસે ન ખરીદવું જોઈએ.
 
6-આ સિવાય દૂધની ખીર કે અન્ય કોઈ વાનગી જેમાં દૂધ બળી જવાની સંભાવના હોય તે બુધવારે ન બનાવવી જોઈએ. 
 
7-બુધવારે કોઈને પણ પૈસા ઉધાર ન આપો. આ તમને નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે, અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments