Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરેઠમાં લગ્ન મંડપમાં લાગી આગ, લોકોમાં મચી અફરાતફરી

Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (22:58 IST)
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં આસપાસના યુવકોએ પાણીનો મારો ચલાવી કાબુ પર કાબૂ મેળવી લીધો હતો.  આગ લાગવાની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલા નાસીકવાળા હોલ ખાતે શણગારેલા મંડપમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતાં હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આવતી કાલે લગ્ન પ્રસંગ હોવાથી મંડપમાં લાઇટિંગ ડેકોરેશન તૈયાર થઈ જતાં ટેસ્ટિંગ માટેની કામગીરી ચાલી રહી હતી. 
 
આ દરમ્યાન મંડપ ડેકોરેશનમાં શોર્ટસર્કિટ થતા મંડપ સળગી ઉઠ્યો હતો, ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં પહેલા જ આસપાસના યુવાનોએ મંડપમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. મંડપમાં આગ લાગવાની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મંડપના સરસામાનને મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments