Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં માતા-પુત્રી વચ્ચેના ખટરાગનો કરુણ અંજામઃ પ્રેમી છીનવાઈ જવાના ડરે 13 વર્ષની દીકરીને ઉપરાઉપરી ચાકુના 20 ઘા ઝીંક્યા

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (11:35 IST)
છૂટાછેડા લીધેલી માતાએ પોતાના જીવનસાથી તરીકે પુરુષ મિત્ર સાથે વિકસાવેલા સંબંધમાં પુરુષે પુત્રી પર પણ દાનત બગાડી હોવાની શંકા જતાં માતા-પુત્રી વચ્ચે ચાલી રહેલા ખટરાગનો કરુણ અંજામ આવ્યો હતો. મંગળવારે બપોરે શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સમા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસસૂત્રો અનુસાર આજવા રોડ પર માતા દ્વારા પુત્રી પર થયેલા હિચકારા હુમલાની ઘટનાની વિગત એવી છે કે, 2013માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. દરમિયાન બે વર્ષ અગાઉ 39 વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. દરમિયાન પુત્રી યુવકની નજીક આવી હોવાનું જણાતાં અવાર-નવાર ઝઘડા થતા હતા, જેનો કરુણ અંજામ મંગળવારે સાંજે 4 વાગ્યે આવ્યો હતો. માતા શાક સમારતી હતી ત્યારે તેનો પુત્રી સાથે ઝઘડો થયો હતો. જેમાં માતાએ ઉશ્કેરાઈને પુત્રી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવતીને માતા દ્વારા જ સયાજી હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે હાલના તબક્કે કોઇ ફરિયાદ નોંધાઈ નથી. સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. માતાએ પુત્રી પર ચપ્પુથી કરેલા હુમલા અંગે પોલીસને બાવ બન્યાના લાંબા સમય પછી પણ કોઈ ફરિયાદી મળ્યું નહોતું. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓને બોલાવી બનાવમાં ફરિયાદી થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments