Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે ડુંગળીની નિકાસ પર લગાવી રોક, દેશમાં 50 રૂપિયે કિલો પહોંચી કિમંત

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (07:11 IST)
દેશમાં ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)  એક નોટિફિકેશનમાં કહ્યું કે તમામ પ્રકારની  ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં બેંગ્લુર  રોઝ અને કૃષ્ણપુરમ ડુંગળીનો પણ સમાવેશ છે. અત્યાર સુધી ડુંગળીની આ જાતિના નિકાસ પર કોઈ પ્રતિબંધ નહોતો.
 
એક અધિકારીએ જણાવ્યું હતું કે, દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને સ્થાનિક બજારમાં અછત છે. આ તંગી મોસમી છે, પરંતુ કોવિડ -19 રોગચાળા દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની ભારે નિકાસ કરવામાં આવી છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 મિલિયન ડુંગળીની નિકાસ કરી હતી, જ્યારે કે, છેલ્લા વર્ષે 44 કરો ડોલરની ડુંગળીની નિકાસ કરી હતી. ભારતથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઈ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી મોટી નિકાસ થાય છે.
 
હજુ માત્ર 15 દિવસ પહેલા છૂટકમાં 15થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટા શાકમાર્કૉ દિલ્હીના આઝાદપુર બજારમાં આજે ડુંગળીનો હોલસેલ રેટ 26થી 37 રૂપિયે કિલો રહ્યો છે. વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થવા પાછળનું કારણ ડુંગળીનો પાક ખરાબ થવો છે. વાસ્તવમાં કર્ણાટકમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments