Webdunia - Bharat's app for daily news and videos

Install App

Inspirational Story - એક યોદ્ધા આવો પણ...આવશ્યક સેવાઓમાં રહેલા વાહનોમાં વિનામૂલ્યે બનાવી આપે છે પંચર

Webdunia
ગુરુવાર, 14 મે 2020 (13:18 IST)
ભગવાન શ્રીરામ જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધી રહ્યા હતા ત્યારે નાનકડી ખિસકોલી પણ જરૂર પડી ત્યાં પોતાનો યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી હતી. તેની એ ભૂમિકા આજે પણ જનમાનસમાં અંકીત છે. આજે કોરોના સામેની લડાઈમાં પણ સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારીમાં સપડાયું છે; ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. આ તબક્કે રામસેતુની ખિસકોલી સમાન નાનો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, ભાવનગરનો અલ્કેશ.
 
કોરોના સામે લડવા પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા વગેરે સેવાઓ રાત-દિવસ એક કરી પ્રચંડ લડત આપી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ આવશ્યક સેવાઓને ચલાવવા પોતાના વાહનોની જરૂર પડે અને આ વાહનોમાં પંચર પડે અથવા તો તેમાં હવાનું પ્રમાણ ઘટે ત્યારે ભાવનગરમાં રહેતો અલ્કેશ નામનો યુવાન આ તમામ આવશ્યક સેવાઓમાં વપરાતા વાહનોમાં હવા ભરી આપવાનું તેમજ પંચર બનાવી આપવાનું કામ વિનામૂલ્યે કરી પોતાની રાષ્ટ્ર ભાવના તેમજ સામાજિક ઋણ અદા કરી રહ્યો છે. 
 
જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી અલ્કેશ પોતાના ઘરની બહાર અવિરત એમ્બ્યુલન્સ, પોલીસ, ડોક્ટર, મીડિયા વગેરેના વાહનોમાં પંચર તેમજ હવા ભરવાની સેવા આપી રહ્યો છે. અલ્કેશની માફક દરેક વ્યક્તિ જો પોતાનાથી થતી શક્ય તે મદદ કરવા આગળ આવે તો કોરોના અંગેની લડાઈમાં વિજય મેળવવો ચોક્કસપણે આસાન થઈ જાય તેમ કહેવું લગીરે અનુચિત નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments