Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ સવારે ઉઠીને કરો આ 7 કામ, તમને દરેક કાર્યમાં સફળતા મળશે

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (06:19 IST)
દરેક કોઈ પોતાના દિવસની શરૂઆત સારી રીતે કરવા માંગે છે. જેથી તેમનો આખો દિવસ સારો રહે. આ માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી તમારા દિવસની શુભ શરૂઆત થશે અને તેને જીવનમાં અપનાવી લેવાથી ઘણા ફાયદા પણ થશે તો આવો જાણીએ રોજ સવારે શુ કરવુ જોઈએ. 
 
1, સૌ પ્રથમ, વહેલી સવારે જલ્દી ઉઠો 
 
 જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.
 
2. તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ.
 
તમારે દરરોજ સવારે ઉઠીને  તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે, પરંતુ એક વાત ધ્યાન રાખજો કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.
 
3  રોજ યોગ અને ધ્યાન કરો
 
લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.
 
4 રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો 
 
શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે  લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે.
 
5 તુલસીને જળ ચઢાવો 
 
તમારે દરરોજ સવારે ઉઠીને તુલસીને જળ ચઢાવવું જોઈએ, જેથી તમારા પર દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે.   શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેમને ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે કાયમ રહે છે. 
 
6 તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો
 
તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ-દીપ અગરબત્તી પ્રગટાવવી જોઈએ. જેના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધ  થશે અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે.
 
7 ઘરમાંથી નીકળતા પહેલા દહીનુ સેવન જરૂર કરો 
 
તમારે રોજ ઘર છોડતા પહેલા થોડુ  દહીંનું સેવન કરવું જોઈએ, જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments