Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના અપડેટ : કોરોનાનાં દર્દીઓનાં કેસોમાં વધારો, 38 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 12 જૂન 2020 (07:06 IST)
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 513 પોઝિટિવ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે 38 લોકોનાં મોત નિપજ્યા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર જે નવા કેસો નોંધાયા, તેમાં સૌથી વધુ અમદાવાદમાં 330 કેસો, સુરતમાં 86 કેસો, વડોદરામાં 39 કેસો, ગાંધીનગરમાં 11 કેસોનો સમાવેશ થાય છે.
 
આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 22067 થઈ ગયો છે. તો આ દરમિયાન વધુ 38 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃતાંક 1358 થઈ ગયો છે. તો આ 24 કલાક દરમિયાન 366 દરદીઓ સારવાર બાદ કોરોનામુક્ત પણ થયા છે.
 
રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5573 છે. જેમાંથી  61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5512 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમા 25, સુરતમાં 4, આણાંદ,‍અરવલ્લી,‍ભાવનગર, બનાસકાંઠા,‍ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 વ્યક્તિઓના મૃત્યું થયા છે.

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments