Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 15 હજારથી વધુ પરપ્રાંતિયો વતનમાં જવા માંગે છે

Webdunia
ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:15 IST)
લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાઇ ગયા હોય તેવા ૧૫,૦૦૦  જેટલા પરપ્રાંતિયોએ  તેમના વતનમાં  પરત જવા માટે કલેક્ટરઅને જે તે મામલતદાર કચેરીમાં જાણ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરિવારો છેલ્લા એક માસથી અમદાવાદમાં વિવિધ જગ્યાએ  લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે. કે જેઓ વતન જઇ શકતા નથી.  અમદાવાદમાં ખાસ કરીને  જીઆઇડીસીઓ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો 
કોરોનાના કારણે કામધંધો છીનવાઇ જતા હવે  વતન પરત  જવા માંગે છે.  લોકડાઉન લંબાવવાની શક્યાતઓ  અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાથી અહીંયા કમાવવામાં આવેલા લોકો હવે ગમે તેમ કરીને  સહ પરિવાર વતન જવા ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં વિવિધ બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ પણ વતન જવા માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટર કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ  જે લોકો વતન જવા માંગતો હોય તેમનું રજિસ્ટ્રેશન કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લા કંટ્રોલરૂમમાં અને જેતે મામલતદાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય  છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ પરપ્રાંતિયોએ વતન જવા વ્યવસ્થા કરી આપવા આજીજી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments