Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા અને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:21 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની ચહેલ-પહેલ વધી ગઈ છે. રાજકીય પક્ષોના ટોચના નેતાઓના ઉપરા-છાપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યાં છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરા એરપોર્ટ પર કેજરીવાલને બદલે મોદી-મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કેજરીવાલ એરપોર્ટની બહાર આવ્યા ત્યારે શ્રીશ્રી રવિંશંકરને રિસિવ કરવા આવેલા સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસ અંગે ગોપાલ ઈટાલીયાએ વીડિયોના માધ્યમથી જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સીએમ કેજરીવાલ 20 સપ્ટેમ્બરને મંગળવારના રોજ વડોદરાની મુલાકાતે આવશે. તેઓ વાઘોડિયા વિસ્તારમાં આવેલા ટાઉનહોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ તકે તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. આ ઉપરાંત તેઓ પત્રકારો સાથે પણ વાતચીત કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments