Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે કોરોના રસી લીધા પછી દારૂ પીધી તો વેક્સીન થઈ જશે બેઅસર

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (20:53 IST)
કોરોના રસીને બેઅસર કર્યા પછી આલ્કોહોલ પીવાની આદત રસીને બેઅસર કરી શકે છે. તેથી, રસીકરણ પછી બે મહિના માટે દારૂ ટાળવો જોઈએ. આ સાંભળવુ થોડુ  વિચિત્ર છે, પરંતુ આ સલાહ રશિયાના ઉપપ્રધાનમંત્રી તતિયાના ગોલીકોવા દ્વારા રજુ કરવામાં આવી છે, જ્યાં લોકોને હાલ સ્પૂતનિક-V  રસી આપવી શરૂ  કરવામાં આવી છે. આ રસીને અસરદાર બનાવવા માટે 42 દિવસ સુધી લોકોએ વધારાની સાવચેતી રાખવી પડશે.વેક્સીન લીધા બાદ લોકોએ ભીડભાડવાળા સ્થાનથી દૂર રહેવુ, દારૂ પીવાનું અને કેટલાક પ્રકારની દવાઓ લેવાનું ટાળવું પડશે. આ સિવાય લોકોએ માસ્ક પહેરવું અને સેનિટાઈઝેશનનું ધ્યાન પણ રાખવું પડશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર રશિયા વિશ્વનો ચોથા ક્રમનો દેશ છે જ્યાં સૌથી વધુ દારુ પીવાય છે. રશિયન લોકો વર્ષ દરમિયાન 15.1 લીટર દારુનું સેવન કરે છે. તેવામાં કોરોનાની રસી લીધા બાદ દારુનું સેવન બંધ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
રશિયન હેલ્થ ઓથોરિટીઝના જણાવ્યાનુસાર ગત સપ્તાહમાં મોસ્કોમાં રસીકરણ શરુ થઈ ચુક્યું છે અને અત્યાર સુધીમાં 1,00,000 લાખ લોકોને રસી અપાઈ ચુકી છે. સ્પુતનિક વી રસી 90 ટકા અસરકારક છે, જો કે તેમ છતાં ચર્ચા એવી પણ છે કે રાષ્ટ્રપતિ પુતિનએ આ રસી લેવાનો ઈન્કાર કર્યો છે. 
 
દેશ        દારૂની ખપત 
 
ભારત          4.3
ફ્રાંસ           12.2
ઓસ્ટ્રેલિયા    12.2
આયર્લેન્ડ     11.9
જર્મની        11.8
બ્રિટન         11.6
કેનેડા         10.2
અમેરિકા       9.2
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments